Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

જામનગરમાં 'ભારત કે મન કી બાત મોદી કે સાથ' રથનું પ્રસ્થાન

જામનગર : નવા ભારતના નિર્માણ માટે રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે ર૦૧૯ લોકસભા માટે ભાજપનો સંકલ્પ પત્ર બનાવવા કરોડો લોકોના સુચનો લેવા માટે 'ભારત કે મન કી બાત મોદી કે સાથ' રથને પ ફેબ્રુઆરીના રોજ પ્રદેશ કાર્યક્રમ શ્રી કમલમ ખાતેથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઇ વાઘાણી અને પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઇ વાઘાણી દ્વારા ર૬ લોકસભાના ર૬ વીડીયો રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. આ રથ જામનગર આવી પહોંચતા શહેર પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, જિલ્લા પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), તથા મેયર હસમુખભાઇ જેઠવા દ્વારા ધ્વજ બતાવી ભાજપ જિલ્લા કાર્યાલયથી લોકસભા મત વિસ્તારો માટે પ્રસ્થાન કરાવ્યો હતો. આ તકે જિલ્લા પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ, શહેર પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), શહેર મહામંત્રી વિમલભાઇ કગથરા, પ્રકાશભાઇ બામણીયા, જિલ્લા મહામંત્રી વિનોદભાઇ ભંડેરી, પ્રવિણસિંહ જાડેજા, મેયર હસમુખભાઇ જેઠવા, ડે. મેયર કરસનભાઇ કરમુર, શાસક પક્ષ નેતા દિવ્યેશ અકબરી, પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, પૂર્વ ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પી. બી. વસોયા, ગોપાલભાઇ સોરઠીયા, ભરતભાઇ મહેતા, કોર્પોરેટર આલાભાઇ ભારાઇ, કમલાસિંહ રાજપૂત, રચનાબેન નંદાણીયા, ડીમ્પલેબેન રાવલ, કેતન નાખવા, ક્રિષ્નાબેન સોઢા, દયાબેન પરમાર, મેરામણભાઇ ભાટ, અશ્વિનભાઇ પંડયા, શીશીરભાઇ કટારમલ સહિત મંડળના પ્રમુખ - મહામંત્રી શહેર જિલ્લાના મોરચાના પ્રમુખ મહામંત્રી સહિત વિશાલ સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતાં. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના આશિષભાઇ કંટારીયા તથા ભાર્ગવ ઠાકરની યાદીમાં જણાવ્યું છે. (તસ્વીર - અહેવાલ : મુકુદ બદિયાણી-જામનગર) (પ-ર૭)

(1:39 pm IST)