Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

સાવરકુંડલામાં આયોધ્યા ચુકાદા બાદ શાંતિ સમિતિની મીટીંગઃ

સાવરકુંડલા : અમરેલી જિલ્લાના પોલીસ વડાશ્રી નિર્લિપ્તરાયની સુચનાથી સાવરકુંડલા સીટી પી.આઇ. વસાવાએ રામ મંદિર અને બાબરી મસ્જીદના ચુકાદા અનુસંધાને શહેરના અગ્રણીઓની શાંતિ સમિતિની મીટીંગ બોલાવેલ હતી. આ શાંતિ સમિતિની મીટીંગ હાજર રહેલ હિન્દુ-મુસ્લિમોએ એકી અવાજે શહેરમાં શાંતિ હોવાનું જણાવેલ હતું અને પોલીસ સ્ટેશનમાં હિન્દુ અને મુસ્લિમ બિરાદરોએ પરસ્પર હાથ મિલાવી સાવરકુંડલા શહેરની કોમી એકતા મજબુત હોવાનું પ્રતિતિ કરેલ હતું. આ શાંતિ સમિતિની મીટીંગમાં મહેશભાઇ સુદાણી, હાજી જાહીદભાઇ જાદવ, મહેશ મશરૂ, ઇરફાન કુરેશી, ડી.કે. પટેલ, ઇકબાલ ગોરી, આલકુભાઇ ખુમાણ, દિલાવરભાઇ ભટ્ટી, જયસુખભાઇ નાકરાણી, અજીતભાઇ જોખીયા, અબીભાઇ વિગેરે હિન્દુ અને મુસ્લિમ આગેવાનો હાજર રહેલ હતાં.

(1:11 pm IST)