Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

બોટાદ : પાટનગર ગાંધીનગર ખાતે યોજાયેલ અખિલ માલધારી સમાજના શિક્ષકોની ચિંતન શિબિર

બોટાદ : રાજયના કેપિટલ સીટી ગાંધીનગરમાં સેકટર ૧પમાં આવેલ ગોપાલક કન્યા કેળવણી સંકુલ ખાતે રાજયભરના માલધારી સમાજના શિક્ષકો, આચાર્યો અને અધ્યાપકોની બે દિવસીય ચિંતન શિબિર ભવ્ય રીતે યોજાઇ ગઇ. 'શિક્ષણ સાગર'પરિવાર દ્વારા આયોજિત આ ચિંતન શિબિરનું દીપ પ્રાગટય વૈદિક મિશન ટ્રસ્ટના સ્વામી ધર્મબંધુજી દ્વારા કરવામાં આવેલ. અતિથિવિશેષ તરીકે શ્રી બાબુભાઇ દેસાઇ, લાખાભાઇ ભરવાડ, ગોવાભાઇ દેસાઇ, જી.સી.ઇ.આર.ટી. નિયામક ડો.ટી.એસ. જોશી અને ડો. દિનેશભાઇ દસાઇ, લલ્લુભાઇ દેસાઇ જેવા મહાનુભાવોએ પધારી શિક્ષકોના ગૌરવ, ગરિમા અને સમાજ વિકાસમાં ભૂમિકાની સુંદર અને પ્રેરક વાતો કરેલ. પ્રોગ્રામના અધ્યક્ષ અને માલધારીઓના ગાંધી અને બુનિયાદી કેળવણીના પ્રખર હિમાયતી છે.(તસ્વીર-અહેવાલ : ઘનશ્યામ મકવાણા -બોટાદ)

(11:54 am IST)