Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

નગરપીપળીયાના નવનીતભાઇ દવેનું મેટોડા ફેકટરીમાં બેભાન થતાં મોત

જાળીયાના લવજીભાઇ પીપળીયા અને બ્રહ્માણી પાર્કના મનસુખભાઇ ગરસોંડીયાએ પણ બેભાન હાલતમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૧: બેભાન હાલતમાં ત્રણ વ્યકિતના મોત નિપજ્યા હતાં. લોધીકાના નગરપીપળીયામાં રહેતાં નવનીતભાઇ હેમશંકરભાઇ દવે (ઉ.૫૩) રવિવારે મેટોડાની વીબા સન્સ કોરૂગેટેડ લિ. નામની ફેકટરીમાં કામ કરતાં હતાં ત્યારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતકને  ડાયબીટીશની બિમારી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી.

બીજા બનાવમાં કુવાડવાના જાળીયા ગામના લવજીભાઇ જીવાભાઇ પીપળીયા (ઉ.૬૬) નામના પટેલ વૃધ્ધ ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મોત નિપજ્યું હતું. મૃતકને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. કુવાડવાના કે. સી. સોઢા અને હિતેષભાઇ માલકીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

ત્રીજા બનાવમાં મોરબી રોડ પર બ્રહ્માણી પાર્કમાં રહેતાં પટેલ મનસુખભાઇ બાઘાભાઇ ગરસોંડીયા (ઉ.૫૭) રાતે નવેક વાગ્યે ઘર નજીક નાગબાઇ મંદિર પાસે વોકીંગ માટે જતાં હતાં ત્યારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૬)

(11:44 am IST)