Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

ભાવનગરમાં એકલવાયુ જીવન જીવતા આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત

ભાવનગર, તા. ૧૧ :. ભાવનગરમાં એકલવાયુ જીવન જીવતા આધેડે કંટાળી જઈ દુકાનમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા વહોરી લીધી હતી.

કણબીવાડ વિસ્તારમાં રહેતા અને એકલવાયુ જીવન જીવતા અને એમ.જી. રોડ, શેરડી પીઠના ડેલામાં આવેલ અલાણા ચેમ્બર્સમાં દરજી કામની દુકાન ધરાવતા ભરતભાઈ ચંદભાઈ અજવાળીયા (ઉ.વ.૫૦) એ તેની દુકાનમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા વહોરી લીધી હતી. એકલવાયા જીવનથી કંટાળી આ પગલુ ભર્યુ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમા ખુલવા પામ્યુ છે.(૨-૫)

(11:54 am IST)