Gujarati News

Gujarati News

તા. ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ભાદરવા સુદ - ૨ મંગળવાર
તા. ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ભાદરવા સુદ - ૧ સોમવાર

શિકાગો નજીક લોમ્બાર્ડ ટાઉનમાં આવેલ વેસ્ટીન હોટલમાં યોજવામાં આવેલ દ્વિતીય વર્લ્ડ હિંદુ કોંગ્રેસ ૨૦૧૮ની થયેલી પૂર્ણાહુતિઃ ત્રણ દિવસ માટે યોજવામાં આવેલ આ અધિવેશનના અંતિમ દિને ભારતના ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુ આપેલી હાજરીઃ અને તેમણે સવાસો વર્ષ પૂર્વે શિકાગોની વિશ્વ ધાર્મિક પરિષદમાં જે ઐતિહાસિક પ્રવચન આપેલ અને તેમાં હિંદુ ધર્મ વિષે તેમણે જે રજુઆતો કરેલ તેનો અભ્યાસ કરી દરેક ભાઇ બહેનોએ તેને પોતાના જીવનમા અનુસરવા હાકલ કરીઃ સંધ સંચાલક ડો. મોહન ભાગવત, અખિલ વિશ્વ ભારતીના સ્થાપક આચાર્ય લોકેશ મુનિજી તથા અન્ય મહાનુભાવોએ પ્રવચનો કર્યાઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્ટ ઓફ લીવીંગના અગ્રણી શ્રી શ્રી રવીશંકર તથા બૌધ ધર્મના વડા દલાઇમાનો વિડિયો સંદેશ પ્રતિનિધિઓએ નિહાળ્યોઃ આ વેળા અનુદાન આપનારાઓ તથા સ્થાનિક કમીટીના અગ્રણીઓ તેમજ ભારતીય સમાજના આગેવાન ડો. ભરત બારાઇને શાલ અર્પણ કરી જાહેર સન્માન કરવામાં આવ્યુ હતુઃ ચાર વર્ષના સમયગાળા દરમ્યાન થાઇલેન્ડના પાટનગર બેંગકોકમાં વર્લ્ડ હિંદુ કોંગ્રેસનું તૃતીય અદિવેશન મળશેઃ ઇલીનોઇ રાજયના ગવર્નર બ્રુસ રાઉનરે સમગ્ર રાજયમાં સ્વામી વિવેકાનંદ ડેની કરેલી જાહેરાત: access_time 11:20 pm IST

તા. ૯ સપ્ટેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ વદ – અમાસ રવિવાર
તા. ૮ સપ્ટેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ વદ – ૧૪ શનિવાર
તા. ૭ સપ્ટેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ વદ – ૧૨ શુક્રવાર

શિકાગોની જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટનમાં જૈનોના મહાન પર્યુષણ પર્વની શરૂ થયેલી ભવ્ય આરાધનાઃ પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રાવકો અને શ્રાવિકાઓએ તમામ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધોઃ ભારતથી શિકાગો પધારેલા શ્રી ભદ્રબાહુજીએ પ્રથમ ધર્મ આચાર તેમજ અભાવ ભાવ અને વિષયોને સ્પર્શતા પ્રવચનો કર્યાઃ મુંબઇના જાણીતા સંગીતકાર અનીલ ગેમાવતે સુંદર જૈન સ્તવનો રજુ કર્યાઃ પર્યુષર્ણ પર્વની આરાધના નિમિતે ઉગ્ર તપશ્ચર્યાઓ શરૂ થઇ જેમાં એકજ પરિવારના ચાર સભ્યોએ માસક્ષમણ તેમજ ર૭,૧૬ અને ૧૧ ઉપવાસોના ે સમાવેશઃ સૂર્યાબેન મહેતાએ પણ માસક્ષમણ એટલે ૩૦ ઉપવાસો શરૂ કર્યાઃ બોર્ડ ઓફ ટ્રસ્ટીઓ તેજસ અમ્રતલાલ શાહ તેમજ જીજ્ઞેશ જૈને અનુક્રમે ચત્તારિ અઠૃ દસ હોય તેમજ સિંહાસન તપની આરાધના શરૂ કરીઃ ભૂતપુર્વ ચેરમેન કિશોરભાઇ છગનલાલ શાહ કછોલીવાળાએ દસ દિવસના ઉપવાસો શરૂ કર્યા જયારે એક અઠવાડિયા પૂર્વે હિમેશ ઝવેરીએ માસક્ષમણની તપશ્ચર્યા પરિપૂર્ણ કરીઃ જૈન સંઘમાં અનેરો આનંદ: access_time 10:14 pm IST