Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

કેરળમાં અતિવૃષ્ટિમાં મૃતકોના પરિવારજનોને પૂ. મોરારીબાપુ દ્વારા સહાય

કુંઢેલી ભાવનગર તા ૧૧ : ગત થોડા દિવસો દરમ્યાન દેશના દક્ષિણ પ્રાંતના કેરળ રાજયમાં અતિવૃષ્ટિની સ્થિતી સર્જાઇ છે અને જાન-માલનું બહુ મોટા પાયે નુકશાન થવા પામ્યું છે. રાજયના આનેક વિસ્તારોના લોકોએ નજીકના કેટલાયે વર્ષોમાં ન અનુભવ્યો હોય તેવા વરસાદને કારણે અત્યાર સુધીમાં ૨૬ લોકોના  મૃત્યું થયા છે.

ચિત્રકુટધામ-તલગાજરડા દ્વારા મોરારીબાપુએ આ તમામ કૃત્કોના પરિવારજનોને હનુમાનજીની પ્રસાદી રૂપે પ્રત્યેક મૃતકને પાંચ હજાર એમ કુલ્લે ૧,૩૦,૦૦૦/- એક લાખ ત્રીસ હજારની તત્કાલ સહાય મોકલાવી છે જે તે જીલ્લાઓના સરકારી સુત્રો પાસેથી મૃતકોની વિગતો મેળવી જયાં પણ મૃત્યુ થયું હશે તેના પરિવારજનોને રામકથાના શ્રોતાઓની મદદ વડેે આ રકમ પહોંચતી કરાશે. મોરારિબાપુએ મૃતકોને શ્રદ્ધાજલિ અર્પણ કરી છે. (૩.૭)

(4:28 pm IST)