Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

ઝૂલતો પુલ દુર્ઘટનામાં મળતકોની આત્‍માની શાંતિ અર્થે કાલે શાંતિ હવન યોજાશે

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૧૦: ગત ૩૦ ઓક્‍ટોબરના રોજ મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા સર્જાયેલી દુર્ઘટનામાં મળત્‍યુ પામેલા મળતકોની આત્‍માની શાંતિ અર્થે રવિવારે મોરબીમાં શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્‍યું છે.

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મળત્‍યુ પામેલા તમામ મળતકોના મોક્ષાર્થે તા.૧૧ ને રવિવારે સવારે ૯:૩૦ થી ૧ કલાક દરમીયાન ઝુલતા પુલ પાસે, મયુર હોસ્‍પિટલ, સ્‍વામીનારાયણ મંદિર બાજુમાં શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્‍યું છે જે શાંતિ હવનમાં આહુતિ આપી દિવ્‍ય આત્‍માઓને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવશે દુર્ઘટનાને ૪૨ દિવસ પૂર્ણ થતા મળતકોની આત્‍માની શાંતિ અર્થે શાંતિ હવનનું આયોજન કરાયું છે જેમાં મોરબીની જાહેર જનતાને આમંત્રણ પાઠવ્‍યું છે.

(11:36 am IST)