Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

માળિયાના હરીપર નજીક રેલ્વે ઓવરબ્રિજ ક્ષતિગ્રસ્ત હોવાથી એક બાજુનો રોડ બંધ

મોરબી જીલ્લામાંથી નેશનલ હાઈવે ૨૭ પસાર થાય છે જે નેશનલ હાઈવે પર માળિયા તાલુકાના હરીપર ગામ નજીક રેલ્વે ઓવરબ્રિજ ક્ષતિગ્રસ્ત થઇ ગયો છે જેથી ઓવરબ્રિજ ઉપરનો એક બાજુનો રોડ રીપેરીંગ કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી ટ્રાફિક માટે બંધ કરેલ છે
પવનચક્કી, ઓવર ડાયમેન્શલ કન્સાઈમેન્ટ, ઓવરલોડ વાહનો ૪૦ ટનથી વધુ જેવા મોટા વાહનોને આ માર્ગ પર ચાલવાની મંજુરી નથી આવા વાહનોને સુરેન્દ્રનગર, અમદાવાદ, પાલનપુર/રાધનપુર વૈકલ્પિક માર્ગ લેવાની સલાહ આપવામાં આવી છે
અન્ય ટ્રાફિક માટે માળિયા અને સામખીયાળી વચ્ચે અમુક ભાગમાં સિંગલ રસ્તો ખુલ્લો રાખેલ હોય જેથી વાહન વ્યવહાર ધીમો ચાલશે જેથી ટ્રાફિક નિયમન અને નિયંત્રણમાં સહકાર આપવા મોરબી જીલ્લા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે

(11:10 pm IST)