Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

મોરબીના માસુમ બાળક નિત્યની હત્યા થયાની દ્રઢ શંકા

ગઇકાલે નિત્ય રાજેશભાઇ પટેલ (ઉ.વ.૩)નું શંકાસ્પદ હાલતમાં મોત થયું'તું:પરીવાર સાથે રહેતી યુવતી શંકાના પરીઘમાં: ફોરેન્સીક પી.એમ.રીપોર્ટ તરફ મીટ

મોરબી, તા., ૧૦: મોરબીની ઋષભનગર સોસાયટીમાં રહેતા પટેલ પરિવારના ત્રણ વર્ષના પુત્રનું શંકાસ્પદ હાલતમાં મોત નિપજતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમીક તપાસમાં આ બાળકની હત્યા થયાની દ્રઢ શંકા છે. મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઋષભનગર વિસ્તારમાં રહેતા રાજેશભાઇના ત્રણ વર્ષના દિકરા નિત્યની શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. માસુમ બાળકના મૃતદેહને ફોરેન્સીક પીએમ માટે રાજકોટ હોસ્પીટલમાં ખસેડાયેલ છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ હત્યાનો મૃતક બાળક નિત્યને મ્હોંમાં ફીણ અને ગળામાં ઇજાના નિશાન દેખાતા હત્યા થયાની શંકાએ તેની લાશને ફોરેન્સીક પીએમ માટે રાજકોટ ખસેડાયેલ છે.

મૃતક બાળક નિત્યના પિતા રાજેશભાઇ સીરામીકની પેઢી ધરાવે છે બે સંતાનમાં મુતક નિત્ય નાનો છે અને મોટી પુત્રી છે. માસુમ પુત્રના મોતથી પટેલ પરીવાર  હતપ્રભ થઇ ગયો છે.

ફોરેન્સીક પીએમનો રીપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે જો કે માસુમ બાળક નિત્યની હત્યા થયાની શંકાએ પોલીસે મૃતક બાળકના પરીવારજનોની પુછતાછ હાથ ધરી છે.

મૃતક બાળકના પરીવાર સાથે રહેતી એક યુવતી શંકાના પરીઘમાં હોય તેની પુછતાછ હાથ ધરાઇ છે. પોલીસના જણાવ્યા મુજબ મૃતક નિત્યના પિતા રાજેશભાઇના મામાની દિકરી તેની સાથે રહે છે અને તે અભ્યાસ કરે છે તે શંકાના પરીઘમાં હોય તેની પુછતાછ હાથ ધરાઇ છે. જો કે ફોરેન્સીક પીએમ રીપોર્ટ આવ્યા બાદ જ પોલીસ આગળની કાર્યવાહી કરશે.

(12:10 pm IST)