Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

થાનગઢના ખાખરાથળ ગામની વીડીમાંથી મૃતદેહ મળ્યો : હત્યા કે આપઘાત ?

વઢવાણ, તા. ૧૦ : થાનગઢ તાલુકા ખાખરાથળ વીડીના જંગલમાં અવાવરૂ જગ્યામાંથી એક માથા વગરની કોહવાઇ ગયેલ હાલતમાં લાશ મળતા થાનગઢ પોલસમાં જાણકારી મળતા ભારે દોડધામ સર્જાવા પામેલી છે.

ત્યારે થાનગઢ ગામના પી.એસ.આઇ. અને એમનો સ્ટાફ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા બાદમાં આ માથા વગરની કોહવાઇ ગયેલ લાશનેપોટલુ બાંધી અને પી.એમ. માટે લાશને હાલમાં રાજકોટ રવાના કરવામાં આવેલ છે.

જે યુવાન ૩૦થી ૪૦ વર્ષની ઉમરનો હોવાનો અંદાજ છે. જયારે તેના શરીર પર માત્ર ચડ્ડીજ પહેરી છે ત્યારે આ યુવાનની હત્યા કે પછી આત્મહત્યા જેના કારણો જાણવા માટે ફોરેન્સીક લેબમાં પી.એમ. માટે મોકલી તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે તેમ પીએસઆઇશ્રીએ જણાવ્યું હતું.

(1:03 pm IST)