Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

વાંકાનેર ખાતે સમગ્ર ભરવાડ સમાજ દ્વારા શિક્ષણની જ્યોત પ્રગટાવાશે

હળવદ તા. ૧૦ : ગોપાલક કુમાર છાત્રાલય દ્વારા આયોજિત શિક્ષણ જયોત તેમજ શિક્ષણ ધ્વજા આરોહણનો પ્રથમ કાર્યક્રમનું આયોજન મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ભરવાડ સમાજના લોકોમાં શિક્ષણ જયોત થકી સમાજ શિક્ષિત બને તેવા ઉપદેશ સાથે આગામી ૧૨/૫ના કાર્યક્રમ યોજાશે જેની તૈયારીઓ આરંભી દેવાઇ છે. આ શિક્ષણ જયોતના સમારોહમાં ભરવાડ સમાજના ધર્મગુરૂ અને સંતો-મહંતો તેમજ સરકારી અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિતિ આપશે.

આજના કોમ્યુટર યુગમાં શૈક્ષણિક રીતે ભરવાડ સમાજના બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી સમાજને લોક ઉપયોગી બને તેમજ સમાજને ગૌરવ પ્રદાન કરે તેવા ખરા ઉદેશ્ય સાથે વાંકાનેરઙ્ગ ગૌપાલક કુમાર છાત્રાલય દ્વારાઙ્ગ શિક્ષણ જયોત તેમજ શિક્ષણ ધ્વજા આરોહણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ શિક્ષણ જયોત ૧૨/૫ને શનિવારે મચ્છોમા મંદિરે સંધ્યા આરતીથી પ્રારંભ કરવામાં આવશે. ઉપરાંત શિક્ષણ ધ્વજા આરોહણ કુમાર છાત્રાલય ખાતે સંધ્યા આરતી બાદ યોજાશે. જેમાં લોક ડાયરો, ભોજન સમારંભ સહિતના કાર્યક્રમો યોજાશે.

વાંકાનેર ગોપાલક કુમાર છાત્રાલય દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાંઙ્ગ જે.કે. સાઉન્ડના સથવારે કચ્છની કોકિલ કંઠી ગીતાબેન રબારી અને લોકસાહિત્યકાર રાજભા ગઢવી લોકગીત તેમજ ભજનોથી સંગીત રસીઓને રસપાન કરાવશે. જેમાં ભરવાડ સમાજના લોકો આ કાર્યક્રમ મોટી સંખ્યામાં ઉમટી પડશે તેમ સમાજના આગેવાન હિરાભાઇ બામ્ભવાની યાદીમાં જણાવાયુ હતું.

સમાજના ધર્મ ગુરૂ પ.પુ.સંતશ્રી ઘનશ્યામપુરી બાપુ (થરા-બનાસકાંઠા)તેમજ પ.પુ ધર્મભુષણ સંતશ્રી રાજેન્દ્રદાસબાપુ તોરણીયા લઘુ મહંત, પરબધામના હસ્તે  શરૂઆત કરવામાં આવશે.

આ પ્રસંગે ભરવાડ સમાજના અગ્રણી અને વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ, વાકાનેરના ધારાસભ્ય મહમદ જાવિદ પીરઝાદા, રાજકોટના ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, સાસંદ મોહનભાઈ કુંઠારીયા, મોરબી જીલ્લા કલેકટર એ.જી.માકડીયા, જીલ્લા પોલીસ વડા જયપાલસીહ રાઠોડ, મોરબી જીલ્લાના નોડલ ઓફીસર ગીરીશભાઈ સરૈયા, નિવૃત એસ.પી. વી.આર. ટોળીયા, મોરબી સમુહલગ્ન સમિતિના પ્રમુખ જયેસભાઈ ગોલતર, સી.સી.એફ. આઈ.એફ.એસ. આર.એસ.આજરા, પુર્વ એડી.ડીસ્ટ્રીક જજ એમ.પી.ગમારા સહીતના આગેવાનો ઉપસ્થિત રહેશે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગેલાભાઇ ડાબી, કવાભાઇ ગોલતર, ડાયાભાઇ સરૈયા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

(11:43 am IST)