Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ગાંધીધામ : મહેશ્વરી સમાજના ધર્મગુરૂની ફેસબુક ઉપર અભદ્ર ટીપ્પણીની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાંચને

ભુજ, તા. ૧૦ : ફેસબુક ઉપર મહેશ્વરી સમાજના ધર્મગુરૂની અભદ્ર ટીપ્પણીની તપાસ અને જે તે સમયે લોકો ઉપર કરાયેલ લાઠીચાર્જના મામલે પૂર્વ કચ્છ પોલીસ અને ડીએસપી ભાવનાબેન પટેલની નિષ્ફળ તેમજ ચર્ચાસ્પદ કામગીરી પછી આ સમગ્ર મામલાની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાંચને સોપાઇ છે.

મુખ્યમંત્રીના કચ્છ પ્રવાસ દરમ્યાન ગાંધીધામમાં દલિત સમાજે વિરોધ કર્યો હતો ત્યારે મુખ્યમંત્રીએ એવી ખાત્રી આપી હતી કે કસુરવારો વિરૂદ્ધ પગલા ભરાશે. આ સંદર્ભે રાજયના ડીજી શિવાનંદ ઝાએ ગાંધીધામ એ-ડીવીઝન પોલીસ મથકે થયેલી આ ફરીયાદની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવા આદેશ કર્યો છે.

(11:41 am IST)