Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

જામનગરમાં મિલ્‍કત વેરા શાખા દ્વારા કુલ-૯ મિલ્‍કતોની જપ્‍તી: ૬પ આસામીઓ પાસેથી કુલ રૂપિયા રપ,૦ર,૪રપ ની વસુલાત

જામનગર મહાનગરપાલિકા મીલ્‍કત વેરા શાખા દ્વારા તા. ૩૧ માચ સુધીનો મિલ્‍કત વેરો ન ભરનાર મિલ્‍કતધારકોને નિયમાનુસાર વોરંટ તથા અનુસુચિતની બજવણી તેમજ વારંવાર રૂબરૂ જણાવવા છતાં પણ મિલ્‍કત વેરો ન ભરનાર બાકીદારોની તા. ૬,૯ તથા ૧૦-૩-ર૦ર૧ ના રોજ કુલ -૯ (નવ) મીલ્‍કતોને જપ્‍તીમાં લેવામાં આવેલ છે.

આમ, ઉપરોકત સમયગાળા દરમ્‍યાન કુલ-૯ (નવ) મિલ્‍કતો સીલ કરવામ઼ા આવેલ અને સ્‍થળ ઉપર કુલ-૬પ આસામીઓ પાસેથી કુલ રૂ. રપ,૦ર,૪રપ ની વસુલાત કરવામાં આવેલ, જયારે ચાલુ નાણાકીય વર્ષ ર૦ર૦-ર૧ દરમ્‍યાન આજદિન સુધીમાં કુલ રૂ.પ૭.૪પ કરોડની વસુલાત થવા પામેલ છે.

ઉપરોકત રીકવરીની કામગીરી કમીશનરશ્રીની સુચના અનુસાર આસી. કમિશનર (ટેકસ) જીજ્ઞેશભાઇ નિર્મલ, ટેકસ ઓફિસર જી.જે. નંદાણયાના માર્ગદર્શન હેઠળ રીકવરી ટીમો દ્વારા કરવામાં આવેલ હતી.

આગામી દિવસોમાં હજુ પણ વધુ કડક કાર્યવાહી કરવામાં આવનાર હોય તાત્‍કાલિક બાકી મિલ્‍કત વેરો ભરપાઇ કરવા બાકીદારોને જાણ કરવામાં આવે છે.

(11:36 pm IST)