Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

કાલે ડો.પ્રવિણતોગડીયા જુનાગઢમાં

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની બેઠકમાં માર્ગદર્શન આપશે

જામનગર તા. ૧૦:  આંતરરાષ્ટ્રિીય હિન્દુ પરિષદ હિન્દુ સમાજને સંગઠિત કરવાના મુખ્ય ઉદેશ સાથે કામ કરે છે. જેને ધ્યાનમાં લઇ જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયથી  ઉપર ઉઠીને હિન્દુ સમાજ  એક થાય તે ભાવનાથી જુનાગઢ મહાનગરમાં સંપુર્ણ હિન્દુ સમાજની  બેઠકનુ તા. ૧૧ જાન્યુ શનિવારે બપોરે ૩:૩૦ કલાકે સિધ્ધેશ્વર મહાદેવ મંદિર શિવનગર જોષીપરા જુનાગઢ ખાતે આયોજન કરાયુ છે.

જેમાં આંતરરાષ્ટ્રિય હિન્દુ પરિષદના  અધ્યક્ષ  ડો. પ્રવિણભાઇ તોગડીયા મુજબ વકતા તરીકે ઉપસ્થ્તિ રહેશે. આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રિય હિન્દુ પરિષદના જયસુખભાઇ બુટાણી ગરજુભાઇ રાઠોડ કૌશિક ગજેરા સુરેશભાઇ બજાણીયા  ગૌરક્ષાના જિલ્લા અધ્યક્ષ  ગોરધનભાઇ ચૌહાણ  તેમજ એએચપીના  જાહેર અધ્યક્ષ અરવિંદભાઇ સોની તેમજ રાષ્ટ્રીય બજરંગદળના જીજ્ઞેશભાઇ આજકિયા પ્રવૃતિ હિરપરા ગૌરવ સુખાનંદી આશિષ લોઢીયા સહિતના ઉપસ્થિત રહેશે.  કાર્યક્રમને  સફળ બનાવવા આંતરરાષ્ટ્રિીય હિન્દુ પરિષદ અને રાજકીય બજરંગદળ જુનાગઢની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

(3:47 pm IST)