Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

જુનાગઢ ગિરનાર પર્વત અંબાજી મંદિરે માતાજીના પ્રાગટયોત્સવની ઉજવણી

જુનાગઢ : ગરવા ગિરનારની ટોચ પર પ૦૦૦ પગથીયે બિરાજમાન મા અંબાજી મંદિરે આજરોજ પોષી પુનમે માતાજીના પ્રાગટય દિનની વહેલી સવારથી મંદિરના મહંત મોટાપીર બાવા પુ. તનસુખગીરીબાપુના સાનિધ્યમાં થઇ રહી છે. જેમાં માતાજીને દૂધ ગંગાજળથી અભિષેક કરવામાં આવેલ તેમજ શ્રી સુકતના પાઠ યજ્ઞ હવન અને ધ્વજારોહણ મહાઆરતી તેમજ મહાપ્રસાદ સહિતના આયોજન કરવામાં આવ્યા હતાં. ઉપરોકત તસ્વીરમાં માતાજીનું પુજન અર્ચન કરતા મંદિરના મહંત પુ. તનસુખગીરીબાપુ તેમજ આ પ્રસંગે ઉપસ્થિત રહેલ ગીરનાર ડેવલોપમેન્ટ બોર્ડના સભ્યો પ્રદીપભાઇ ખીમાણી શૈલેષ દવે તેમજ યોગી પઢીયાર અને ભાવિકો નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા -જુનાગઢ)

(1:41 pm IST)