Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

સાંજે સોમનાથમાં કૈલાસ માનસરોવર યાત્રિકોનું આંતરરાષ્ટ્રીય સંમેલન :કાલે અનુરાધા પૌંડવાલનો કાર્યક્રમ

વેરાવળ-પ્રભાસપાટણ, તા. ૧૦ : શ્રી સોમનાથ ટ્રસ્ટના સહયોગથી આજે કૈલાસ માનસરોવર યાત્રિકોનું રાષ્ટ્રીય સંમેલન શ્રી સોમનાથ ખાતે યોજાનાર છે. જેમાં ૧ર૦૦થી ૧પ૦૦ જેટલા કૈલાસ યાત્રિકો સોમનાથ પધારશે તેમજ આજે તા.૧૦ના રોજ ત્રિવેણી સગમ ખાતે સાંજના ૬:૦૦ થી ૬-૩૦ કલાકે રાષ્ટ્રીય સંમેલનમાં પધારેલા મહેમાનોના હસ્તે શિવપૂજન તથા સમૂહ આરતીનું આયોજન પણ કરવામાં આવેલ છે. તેમજ શ્રી સોમનાથજીને ધ્વજારોહણ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવશે, બે દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે.  શ્રી સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે કાલે રાત્રીના ૯ કલાકે શ્રી મેરામણભાઇ ગઢવી એન્ડ ગ્રુપ તથા કાલે સુપ્રસિદ્ધ ગાયિકા શ્રી અનુરાધા પૌંડવાલ ભકિત સંગીત રજુ કરશે.

(11:39 am IST)