Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

રાજ્યના કલાકારો કલાગ્રુપો માટે કલા મહાકુંભ ૨૦૧૯નું આયોજન

કલાકાર-ગ્રુપોએ ૩૦ ડી.એ સુધીમાં ફોર્મ ભરવાની ડેડલાઇન

સુરેન્દ્રનગર,તા.૯: જિલ્લા યુવા વિકાસ અધિકારી સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે મુજબ ચાલુ વર્ષે રાજય સરકાર દ્વારા રાજયના કલાકારો અને કલાગૃપો માટે કલા મહાકુંભ-૨૦૧૯નું આયોજન કરવામાં આવનાર છે. જે આગામી તા.૧૧-૧-૨૦૨૦ થી તા.૨૮/૨/૨૦૨૦ દરમ્યાન યોજાનાર છે. જેમાં ભાગલેવા માટે નિયત નમુનાના ફોર્મ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. જે માટે તમામ તાલુકાના સંબંધિત કન્વીનરશ્રી તેમજ જિલ્લાકક્ષાએ રમત-ગમત અધિકારીની કચેરી ખાતેથી ફોર્મ મેળવી તા.૨/૧૨/૨૦૧૯ થી તા.૩૦/૧૨/૨૦૧૯ સુધીમાં જમા કરાવવાના રહેશે.

કલા મહાકુંભ-૨૦૧૯માં ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ તથા ૬૦ વર્ષથી ઉપરના ભાઈઓ/બહેનો આ ચાર વિભાગની ૨૯ આઈટમોમાં ભાગ લઈ શકશે. જે પૈકી ૧૨ આઈટમ તાલુકા કક્ષાએથી શરૂ થશે. જયારે ૧૪ આઈટમ સીધી જિલ્લાકક્ષાએથી, ૧ પ્રદેશકક્ષાએ તથા ૨ સીધી રાજયકક્ષાએ યોજાશે. તમામ આઈટમના પ્રથમ ત્રણ વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

(1:21 pm IST)