Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

સુરેન્દ્રનગર જિલ્લામાં કવોરી ઉદ્યોગની હડતાલથી લાખોનું નુકસાન : ઉગ્ર આંદોલનની ચિમકી

વઢવાણ તા. ૯ : સરકારની નીતિ અને નિયમો તેમજ પડતર પ્રશ્નો અંગે ઙ્ગકવોરી એસોસિએશન દ્વારા આંદોલન ચાલી રહ્યું છે ત્યારે ઙ્ગસમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા ૧૩ ઙ્ગદિવસથી ચાલી રહેલ હડતાલ ને રાજયભરના કવોરી ઙ્ગએસોસિયેશનને ટેકો જાહેર કરતા લાખો લોકોને રોજગારી પૂરું પાડતો આ ઉદ્યોગ ઠપ્પ થવાથી મોટાપાયે નુકશાન થઇ રહેલ ઙ્ગહોય આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આગામી દિવસોમાં ઉકેલ ન આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવેલ છે.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા સહીત સમગ્ર રાજયમાં મોટા પ્રમાણમાં કવોરી ઉદ્યોગ આવેલો છે. ઙ્ગ વિવિધ પ્રશ્નો અને માંગણીઓને લઈને સૌરાષ્ટ્ર કવોરી એસોસીએસન ની છેલ્લા ૧૩ ઙ્ગદિવસથી હડતાલ ચાલી રહી છે. ત્યારે આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના કવોરી એસોસિએશનના દ્વારા જિલ્લા કલેકટરને ૧૫ પ્રશ્નો નું આવેદનપત્ર પાઠવવામાં આવેલ લાખો લોકોને રોજગારી પૂરું પાડતો આ ઉદ્યોગ છેલ્લા ૧૩ ઙ્ગદિવસથી બંધ હોવાથી મજૂરો, ટ્રાન્સપોર્ટરો અને ઙ્ગકવોરી ઉદ્યોગકારોની હાલત ખરાબ થઈ ગઈ છે . ૪૦૦૦ ઙ્ગજેટલા ડમ્પરો ઙ્ગ આ ઉદ્યોગમાં ચાલે છે. વારંવાર રજૂઆત છતાં સંવેદનહીન સરકાર દ્વારા કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી અને અને જો આગામી દિવસોમાં સરકાર દ્વારા કોઇ જ ઙ્ગપ્રકાર ના સકારાત્મક પગલા લેવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન ઙ્ગસહિત ઉગ્ર આંદોલનની ઙ્ગઅને નાછૂટકે આત્મ વિલોપન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવેલ છે.(૨૧.૧૬)

(12:52 pm IST)