Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

ધ્રાંગધ્રાના આવાસો પ્રશ્ને આવેદન

વઢવાણઃ ભારતીય મૂળ નિવાસી સમાજ ગુજરાત દ્વારા ધ્રાંગધ્રામાં નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ આવાસો તથા શોપીંગ સેન્ટરની દુકાનોની તાત્કાલીક ફાળવણી કરવા તેમજ સર્કલમાં અશોક સ્થંભ સ્થાપિત કરી 'સત્યમેવ જયતે સર્કલ'નું નામકરણ કરવા તથા રેગ્યુલર ચીફ ઓફિસરની નિમણૂક કરવા આવેદનપત્ર પાઠવી નહિ તો ભૂખ હડતાલ કરવાની ચીમકી આપી છે. તસ્વીરમાં ધરણા પર બેઠેલા આગેવાનો નજરે પડે છે.

(11:46 am IST)