Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

ભાવનગર શિશુવિહારનું મુંબઇમાં સન્માન

ભાવનગર તા.૮: શાંતિલાલ એમ. શાહ ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઇ દ્વારા શિશુવિહાર સંસ્થાનું પ્રશસ્તિ પત્ર અને રૂપિયા પ૦,૦૦૦/- ના અનુદાનથી સન્માન થયું. શિશુવિહારની સેવા પ્રવૃતિઓનાં પ્રતિનિધિ તરીકે રશ્મિભાઇ સાકરવાડિયા, નિર્મોહીબેન ભટ્ટ તથા સંસ્થાના મંત્રી ડો. નાનકભાઇ ભટ્ટ નડિયાદ ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતની મહાજન પરંપરાને વિકસીત રાખી નવતર અભિગમથી સેવા કાર્ય કરતી ૨૪ સંસ્થાઓના વિશિષ્ટ અભિવાદન થકી શાંતિલાલ શાહ ટ્રસ્ટ દ્વારા રૂ. ૧.૨૫ કરોડનું અનુદાન નોંધીય બને છે.(૧.૭)

(11:48 am IST)