Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

ભાવનગરમાં ચોકીદારની હત્યા-લુંટ પ્રકરણે સગીર સહિત વધુ બે ઝડપાયા

ભાવનગર તા.૮: ભાવનગરનાં ચકચારી હત્યા-લુંટ પ્રકરણે પોલીસે સગીર સહિત વધુ બે ને ઝડપી લઇ રૂ. ૨૫.૮૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.મળતી વિગતો મુજબ ગત તા. ૨૨-૧૧ના ડો. માલતીબેન મહેતાનાં બંગલામાં ત્રાટકી ચોકીદારની હત્યા કરી રૂ. ૬૫ લાખની લુંટ ચલાવી નાસી છુટયા હતા.

આ બનાવ અંગે પોલીસે એક શખ્સને ઝડપી લીધો હતો. આ બનાવમાં પાંચ આરોપીઓ સંડોવાયેલ હોવાનું ખુલવા પામ્યું હતું. દરમ્યાન એલ.સી.બી. પોલીસે આ બનાવ અંગે વધુ બે ને આજે ઝડપી લીધા છે. વિપુલ વાસુરભાઇ ભોકળવા (ઉ.વ.૨૩-રહે. ફુલસર માર્કેટીંગયાર્ડ અને એક ૧૭ વર્ષનાં સગીર જે ભાંગલી ગેટ તળાજા રોડ ઉપર રહે છે તે સહિત બેને રૂ. ૨૫,૮૧૫૪૦ની કિંમતનાં સોના-ચાંદીનાં ઘરેણા સાથે ઝડપી લીધા હતા. અગાઉ ૧૦ લાખનો મુદ્દામાલ ઝડપાયેલ. આમ આ પ્રકરણે પોલીસે અત્યાર સુધી ત્રણ આરોપીઓને કુલ રૂ. ૨૧.૩૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે અને હજુ અન્ય ફરાર આરોપીઓને ઝડપી લેા તજવીજ હાથ ધરી છે.(૧.૮)

(11:47 am IST)