Gujarati News

Gujarati News

News of Sunday, 8th September 2019

રાણાવાવ અને કુતિયાણાના ચાર ગામોને એલર્ટ કરાયા : રાણા-ખીરસરા ડેમના 4 દરવાજા ખોલાયા

મીણસર નદી અને ઉપરવાસના પાણી ડેમમાં આવ્યા

 

પોરબંદર : ભારે વરસાદને પોરબંદરના રાણાવાવ અને કુતિયાણાના કુલ ચાર ગામોને એલર્ટ કરાયા છે. તમામ તલાટી મંત્રીઓને હેડ કવાટર્સ છોડવા આદેશ કરાયો છે. ઉપરવાસનુ પાણી અને ચાલુ વરસાદના લીધે રાણા-ખીરસરા ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે.

  મીણસર નદી અને ઉપરવાસના પાણી ડેમમાં આવ્યા છે. જેનો પ્રવાહ 1 હજાર 783.266 પ્રતિ સેકન્ડ છે. ડેમની ક્ષમતા પ્રમાણે 30.52 મીટરની મર્યાદા જાળવવા નિર્ણય લેવાયો છે.

(10:57 pm IST)