Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

જામજોધપુરના સીદસરમાં શ્રી ઉમિયા માતાજીના મંદિરમાં ઉમિયા સાગર ડેમના પાણી

જામજોધપુરઃજામજોધપુર પંથકમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. સતત ધોધમાર વરસાદ વરસતાં સીદસરના ઉમિયાનગર ડેમના ૧૯ દરવાજા ૧૦ ફુટ ખોલવામાં આવ્યા હતા. ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે પાણીની આવક થઇ છે. ધોધમાર વરસાદ પડતાં શ્રી ઉમીયા માતાજી મંદિરના પટાંગણમાં પાણી પહોંચ્યાં હતાં. અને વેણુ નદીમાં ઘોડાપુરના દ્રશ્યો જોવા મળ્યા હતા. તેમજ કોટડાબાવીસીના ફુલઝર ડેમમાં પણ પાણીની  આવક થતાં ફુલઝર નદી બે કાંઠે વહેતી થઇ હતી. તેમજ ધૂનડા, ઘ્રાફા, બાલવા, જામવાડી, વસંતપુર ગામે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. (તસ્વીર-અહેવાલઃ દર્શન મકવાણા-(જામજોધપુર), કૃષ્ણકાંત ચોટાઇ-ઉપલેટા)

(11:36 am IST)