Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

જયેશભાઇ રાદડીયાના પ્રયાસોથી વિરપુરમાં વધુ એક ૨૫ બેડનું કોવીડ હેલ્થ સેન્ટર કાર્યરત

યુવા મંત્રી જયેશ રાદડીયાના પ્રયાસોથી વિરપુર ખાતે વધુ એક ૨૫ બેડનું કોવીડ હેલ્થ સેન્ટર ધોરાજી : જેતપુર-જામકંડોરણા વિસ્તારના કોરોનાગ્રસ્ત લોકોને આ મહામારીમા હેરાન ન થવુ પડે અને વિનામુલ્યે સારવાર મળી રહે તેવા ઉદ્દેશથી જામકંડોરણા તેમજ જેતપુર ખાતે કોવીડ હેલ્થ સેન્ટર કાર્યરત કરાવીને હવે યુવા મંત્રી જયેશ રાદડીયા તેમજ દાતાઓના સહકારથી વિરપુર ખાતેના 'સામુહીક આરોગ્ય કેન્દ્ર'માં ૨૫ બેડનુ હેલ્થ સેન્ટર કાર્યરત થાય એ માટે યુવા મંત્રી જયેશ રાદડીયા તેમજ મનસુખભાઈ ખાચરીયા,ગોરધનભાઈ ધામેલીયા સહીતના આગેવાનોએ સામુહીક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને જરૂરી સુચનો કર્યા હતા. આ હેલ્થ સેન્ટરમા કુલ ૨૫ બેડની સુવિધા ઉભી કરવામા આવશે જેમાથી ૧૫ બેડ ઓકસીજન ફેસેલીટી સાથેના કાર્યરત કરવામા આવશે તેમજ દાખલ થનાર તમામ દર્દીઓને આ સારવાર વિનામુલ્યે આપવામા આવશે.(તસ્વીર : કિશોર રાઠોડ)(૪૫.૫)

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા, તા. ૮: જેતપુર જામકંડોરણા વિસ્તારના કોરોનાગ્રસ્ત લોકોને આ મહામારીમાં હેરાન ન થવુ પડે અને વિનામૂલ્યે સારવાર મળી રહે તેવા ઉદેશથી જામકંડોરણા તેમજ જેતપુર ખાતે કોવીડ હેલ્થ સેન્ટર કાર્યરત કરાવીને હવે મંત્રી જયેશભાઇ રાદડીયા તેમજ દાતાઓના સહકારથી વિરપુર ખાતેના સામુહીક આરોગ્ય કેન્દ્રમાં ૨૫ બેડનું હેલ્થ સેન્ટર કાર્યરત થાય તે માટે મંત્રી જયેશભાઇ રાદડીયા તેમજ મનસુખભાઇ ખાચરીયા, ગોરધનભાઇ ધામેલીયા, સહિતના આગેવાનોએ સામુહીક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇને જરૂરી સુચનો કર્યા હતા.આ હેલ્થ સેન્ટરમાં કુલ ૨૫ બેડની સુવિધા ઉભી કરવામાં આવશે. જેમાંથી ૧૫ બેડ ઓકિસજન ફેસેલીટી સાથેના કાર્યરત કરવામાં આવશે. તેમજ દાખલ થનાર તમામ દર્દીઓને આ સારવાર વિનામૂલ્યે આપવામાં આવશે. આ કોવીડ હેલ્થ સેન્ટર આજે શરૂ થશે.

(11:41 am IST)