Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

લોકરક્ષક દળની પરીક્ષામાં પાસ-નાપાસની ચિંતામાં જૂનાગઢનાં યુવાનનો આપઘાત

પરીક્ષાનાં બીજા દિવસે જીજ્ઞેશ મકવાણાએ ગળાફાંસો ખાતા અરેરાટી

જુનાગઢ તા૮: લોકરક્ષકદળની પરીક્ષામાં પાસ-નાપાસની ચિંતામાં જુનાગઢનાં યુવાને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાં આવેલ અદિતી નગરમાં રહેતા જીજ્ઞેશ પુનાભાઇ ઉર્ફે પ્રવીણભાઇ મકવાણા  (ઉ.વ.૨૦) નામનાં યુવાને રવિવારે લોકરક્ષકદળની પરીક્ષા આપી હતી. પરંતુ આ પરીક્ષામાં પાસ થશે કે નાપાસની ચિંતા કોરી ખાતી હોય ગઇકાલે સાંજે જીજ્ઞેશે પોતાનાં ઘરે પંખાના હુક સાથે ચુંદડી વડે લટકીને ગળાફાંસો ખાઇ લીધો હતો.

આમ યુવાનની આત્મહત્યાથી તેનાં પરિવારમાં ગમગીની પ્રસરી ગઇ હતી.(૧.૧૩)

(4:00 pm IST)