Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

જામજોધપુરમાં વ્યસનમુકિત માટે માર્ગદર્શન

જામજોધપુરઃ જામજોધપુર આર્ટસ એન્ડ કોર્મસ કોલોજ ખાતે ટોબેકો અને ટી.બી અંગેની શિખિર યોજાઇ હતી. આ શિબિરમાં તમાકુને કારણે થતા ભયંકર કેન્સર જેવા રોગો અંગેની માહિતી તાલુકા હેલ્થ સુપર વાઇઝર ડી.બી. અપારનાથીઓ અને ટી.બી વિશે પ્રવિણભાઇ ચાવડાએ માહિતી આપી હતી. કોલેજના વિદ્યાર્થીઓએ તમાકુથી થતા કેન્સર અંગેનો નિંબધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. પ્રથમ-દ્વિતિય-ત્રીજો નંબર આવનાર વિદ્યાર્થીઓને ઇનામ અપાયેલ પ્રિન્શીપાલ શ્રી કે.જી. પટેલે વ્યસનથી દુર રહેવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. તાલુકા હેલ્થ કચેરી-જામજોધપુર દ્વારા આ શિખિરમાં જયદીપભાઇ, કોલેજનો સ્ટાફ તથા વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીની હાજર રહ્યા હતા.

(11:53 am IST)