Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

સાવરકુંડલામાં એનએસયુઆઇ દ્વારા સાયકલ સ્પર્ધા યોજાઇ

સાવરકુંડલા : એનએસયુઆઇ દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસની સાથે શારીરીક કૌશલ્યતા પણ વિકસે તેવા હેતુથી દરવર્ષે સાયકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. રવિવારે પણ સાયકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. મહુવા રોડ સ્વામિનારાયણ મંદિર પાસેથી શરૂ થયેલી આ સાયકલ સ્પર્ધામાં ૧૦૯૩ જેટલા વિદ્યાર્થી ભાઇ બહેનોએ ભાગ લીધો હતો. ભાગ લેનાર તમામ સ્પર્ધકોને મોમેન્ટો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. પ્રદેશમંત્રી કેતનભાઇ ખુમાણના માર્ગદર્શન નીચે યોજાયેલી આ સ્પર્ધામાં ગુજરાત એનએસયુઆઇના પ્રમુખ મહિપતસિંહ ગઢવી સહિત વિદ્યાર્થી આગેવાનો હાજર રહી સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા. સાયકલ સ્પર્ધાનો પ્રારંભ થયો તે તસ્વીર.(૪૫.૨)

(11:47 am IST)