Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

અમરેલીના લોકી મુકામે પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજનાની સહાય અર્પણ

અમરેલી તા.૮: જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ. શેડુભાર શાખા મારફત પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજનામાં જોડાયેલ હરીપુરા ગામના સભાસદ સ્વ.કૈલાશબેન દેવરાજભાઇ બાવળીયાનું આકસ્મિક અવસાન થયેલ. જેની વીમા કલેઇમની રકમ મંજુર થતા ચેક વિતરણનો કાર્યક્રમ હરીપુરા મુકામે રાખવામાં આવેલ હતો.

વીમા કલેઇમનાં રકમનાં ચેકનું વિતરણ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ.ના જનરલ મેનેજર (સી.ઇ.ઓ.) શ્રી બી. એસ.કોઠીયાના વરદ હસ્તે તેમના વારસદાર શ્રી હરેશભાઇ દેવરાજભાઇ બાવળીયાને કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં હરીપુરા ગામના આગેવાન શ્રી વિનુભાઇ પાદરીયાઘ ઘનશ્યામભાઇ મોણપરા, ભરતભાઇ ગોહીલ, દેવેન્દ્રભાઇ પાદરીયા, મગનભાઇ પાદરીયા તેમજ શેડુભાર સેવા સહકારી મંડળીના વ્ય.ક.સ. શ્રી ચેતનભાઇગજેરા, કમલેશભાઇ ગજેરા, તેમજ બેંકના કર્મચારી એચ. એ. જોષી, પી. સી. ચૌહાણ તેમજ પ્રગતિશીલ ખેડતો અને ગ્રામજનોએહાજરી આપેલ હતી. (૧૧.પ)

(11:46 am IST)