Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

પોરબંદરમાં ભુગર્ભ ગટર કામમાં બેદરકારી બાદ સિમેન્ટ રોડ તોડીને નુકશાનઃ કલેકટરને રજુઆત

પોરબંદર તા ૮ : ભુગર્ભ ગટરના કામમાં બેદરકારી દાખવવાના કારણે સિમેન્ટ રોડ તોડીને નુકશાન કરતા તપાસ કરીને પગલા લેવા કોંગ્રેસ જીલ્લાના  લખણશીભાઇ ગદરાણીયા એ કલેકટરને રજુઆત કરેલ છે.

છાયા નગરપાલિકાના વોર્ડ નં.ર ધનલક્ષમી સોસાયટી શેરી નં.ર અને ૩ માં ભુગર્ભ ગટરનું કામ કરવામાં આવ્યું હતું ચુગર્ભ ગટરનેં કામ પૂર્ણ થયા બાદ આ શેરીઓમાં સિમેન્ટ રોડ બનાવવામાં આવ્યા છે.  અમુક જગ્યાએ હમણા પાઇપ નાખવાના જ બાકી રહી ગયા છે.પાઇપ નાખવા હાલમાં સિમેન્ટ રોડ તોડવામાં આવી રહયા છે. આ સિમેન્ટરોડ તોડવાને કારણે નીચે આવેલ પીવાના પાણી સહિતની પાઇપ લાઇનોને પણ નુકશાન થયું છે. આ પાઇપ લાઇનોમાં ભુગર્ભ ગટરના  પાણી ભળી જવાથી આરોગ્ય માટેના પ્રશ્નો ઉપસ્થિત થશે, તેમ રજુઆતમાં જણાવેલ છે. (૩.૨)

(11:44 am IST)