Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ભાવનગર જિલ્લાના કેટલાક ગામોમાં તા. ૧૬ સુધી સૌરાષ્ટ્રમાં સરઘસો કાઢવા પર પ્રતિબંધ

ભાવનગરઃ ગુજરાત પોલીસ એકટની કલમ-૩૭(૩) તળે મને કલેકટર ઉમેશ વ્યાસએ ભાવનગર કાયદો વ્યવસ્થા સુચારૂ રૂપથી જળવાઈ રહે તે સારૂ સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઈ ભાવનગર જિલ્લાના ઘોઘા અને ભાવનગર ગ્રામ્ય તાલુકાના બાડી, હોઈદડ, મલેેકદર, પડવા, ખડસલીયા, થળસર, લાખણકા, થોરડી, રામપર, સુરકા અને આલાપર ગામમાં તા. ૧૬-૧-૨૦૧૯ સુધી યોગ્ય સત્તાધિકારશ્રીની પૂર્વ મંજુરી સિવાય સરઘસો કાઢવા પર તેમજ ગેરકાયદેસર મંડળી રચી વ્યકિતઓ ભેગા થવા પર પ્રતિબંધ કરવામા આવ્યો છે. આ હુકમ - જાહેરનામાનો ભંગ-ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષા થશે. 'જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે ફરજ પરના કોઈપણ હેડ કોન્સ. તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે.(૨-૧)

(11:28 am IST)