Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

જમાઇના મૃત્યુના આઘાતમાં ભાવનગરમાં સસરા નાનજીભાઇ બારૈયાનો આપઘાત

ભાવનગર, તા. ૮ : ભાવનગરમાં જમાઇના મૃત્યુ બાદ આઘાતમાં સસરાએ ગળફાંસો ખાઇ આપઘાત વહોરી લીધાનો બનાવ બનવા પામ્યો છે.

મળતી વિગતો મુજબ ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં માઢીયા શેરી નં. ૬માં રહેતા નાનજીભાઇ રામજીભાઇ બારૈયા ઉ.વ.પ૦એ તેના ઘેર ગળાફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધી હતી. મૃતક નાનજીભાઇના જમાઇ કિશોરભાઇનું થોડા દિવસ પહેલા મૃત્યુ થયું હતું અને તેના આઘાતમાં વ્યથીત થઇ નાનજીભાઇએ આત્મહત્યા વહોરી લીધી હોવાનું પોલીસ તપાસમાં ખૂલવા પામ્યું છે. આ અંગે ડી-ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

ફળીયામાં દાટેલો વિદેશી દારૂ ઝડપાયો

ભુતેશ્વર ગામે દરોડો પાડી વરતેજ પોલીસે શંભુભાઇ બાબુભાઇ બારૈયાના રહેણાંક મકાનના ફળીયામાં ખાડો કરી રાખવામાં આવેલ વિદેશી દારૂની ૧૦ બોટલો ઝડપી લીધી હતી. જયારે શંભુ બારૈયા નાસી છૂટયો હતો. (૮.૭)

(11:28 am IST)