Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

નવાગઢઃ જયેશભાઇ રાદડીયાની સફળ અસરકારક રજુઆતથી ખોડલધામ રેલવે ઓવરબ્રીજ મંજુર

નવાગઢ તા.૭ : લેઉવા પટેલ સમાજની આસ્થાના પ્રતિક સમા મા ખોડલના ધામ જવાના રસ્તે આવતા રેલવે ક્રોસીંગ ઉપર રૂ.૧૯.પ કરોડના ખર્ચે ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા ઓવરબ્રીજ મંજુર કરાવતા તેમને આવકાર મળેલ છે.

ખોડલધામ તરફ જતા શ્રધ્ધાળુઓના વાહનોને ફાટક બંધ થવાના કારણે વારંવાર ટ્રાફિકજામની સમસ્યા થતી હોય અને તેને લીધે લાખો શ્રધ્ધાળુઓને પડતી મુશ્કેલીને ધ્યાને લઇ ગુજરાત સરકારમાં સફળ રજુઆત કરતા માર્ગ મકાન મંત્રી નીતીનભાઇ પટેલે આ રજુઆતને ગ્રાહય ગણી મંજુરી ઉપરમહોર મારતા આ ઓવરબ્રીજ બનશે.

(11:43 am IST)