Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

જસદણ - આટકોટ ફોરટ્રેક રસ્તાની કામગીરી ટુંક સમયમાં શરૂ કરાશેઃ કુંવરજીભાઇ

કાળાસર - ઘેલા સોમનાથ રોડના ખાતમુર્હૂત વિધિ સંપન્ન

જસદણ તા. ૭ૅં : પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જસદણ ખાતે કાળાસર થી ઘેલાસોમનાથ જવાના રસ્તાને પહોળા તેમજ મજબુતીકરણ કરવાના કામનું ખાતમુર્હત કરતા જણાવ્યું હતું કે, જસદણ તેમજ વીંછિયાને જોડતા તમામ વિસ્તારના રસ્તાઓ પહોળા અને મજબૂત બને તે દિશામાં આયોજન અને સઘન અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. કાળાસરપ્ર ઘેલાસોમનાથ રસ્તો પહોળો બનતા દર્શનાથે આવતા યાત્રિકોને સુગમતા પ્રાપ્ત થશે તેમ મંત્રી એ જણાવ્યું હતું.

આ તકે મંત્રી બાવળિયાએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આગામી ટૂંક સમયમાં જ જસદણ થી આટકોટ વચ્ચે ફોરપ્રલેન રસ્તાનું કામ શરૂ થશે, તેની મંજૂરી તેમજ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ રસ્તો પૂર્ણ થતા રાજકોટ થી જસદણ સુધી માર્ગ પરિવહન સરળ બનશે. સૌની યોજના દ્વારા આલણસાગર ડેમમાં ફેબ્રુઆરી સુધીમાં પાણી ભરી દેવાની વાત ઉચ્ચારી હતી. નાના ગામોમાં પીવાના પાણીની સમસ્યા દૂર થાય તે માટે ૩૦૦૦ થી ઓછી વસ્તી ધરાવતા ગામોમાં પણ ઓવરહેડ ટાંકીનો લાભ મળશે તે મંત્રીઆએ જણાવ્યું હતું. કુંવરજીભાઈએ ઉપસ્થિત ખેડૂતોને જણાવ્યું હતું કે, કમોસમી વરસાદમાં નુકસાન થયેલા ખેડૂતોને નુકસાનીનું વળતર આપવાનું રાજ્ય સરકાર દ્વારા નિિ?ત કરાયું છે, જે માટે હાલ સર્વે હાથ ધરવામાં આવેલ હોય તમામ ખેડૂતોએ વહેલાસર નામ નોંધાવી લાભ લેવા જણાવ્યું હતું.

જસદણ તાલુકાનો કાળાસર ઘેલાસોમનાથ રોડ રૂ. ૧૫ કરોડના ખર્ચે સાત મીટરનો કરવામાં આવશે તેમજ રસ્તામાં ૨૭ જેટલા નાળા પર પુલ બનાવવામાં આવશે. આ રોડ બનતા જસદણપ્રવિંછીયા સ્ટેટ હાઇવે ઘેલાસોમનાથ મંદિર સુધી સંપૂર્ણ રસ્તો વિભાગીય થઇ જશે જેનાથી હડમતીયા, ફુલજર, કાળાસર વગેરે ગામોના લોકોને લાભ મળશે.

આ પ્રંસગે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ  મનસુખભાઈ જાદવ, તાલુકા સદસ્યશ્રી મનસુખભાઈ ધોળકિયા, ગોડલધાર સરપંચ અશોકભાઈ ચાવ, લખુભાઇ, ધીરુભાઈ, વેલાભાઇ, નાગજીભાઈ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:34 am IST)