Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

જખૌમાંથી ગુમ થયેલી જામસલાયાની બોટ અને માછીમારો પાકિસ્તાન મરીનના કબ્જામાં

ભુજ,તા.૭:  બે દિવસ પહેલા પાક મરીન દ્વારા જખૌના દરિયામાંથીઓખા, માગરોળની બે બોટ અને ૧૩ માછીમારોના અપહરણ દરમ્યાન જામસલાયાની બોટ અને પાંચ માછીમારો ગુમ થયા હતા. બે દિવસની શોધખોળ બાદ હવે એ જાણકારી મળી છે કે, જામસલાયાનાઙ્ગ ફાતમા સાલેમામદ ગાજીયાની માલિકીની એ બોટ 'હાસમશા કા કરમ' અને તેમાં રહેલા પાંચ માછીમારો સુલતાન આમદ સંદ્યાર, ઇસ્માઇલ સાલેમામદ ગાજીયા, ફિરોઝ અનવર સુભાનીયા, સત્ત્।ાર નૂરમામદ ભટ્ટી, ઈસ્માઈલ અનવર સુભાનીયાને પાકિસ્તાન મરીન સિકયુરિટીના હાથે ઝડપાઇ ગયા છે. આમ, પાક. દ્વારા જખૌમાંથી ત્રણ બોટ અને ૧૮ માછીમારોનું અપહરણ કરાયું છે. આ માછીમારો સામે હાલે કરાંચી પોલીસ દ્વારા ગુનો નોંધીને જેલ હવાલે કરાયા છે.

(11:07 am IST)