Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

ભાવનગરમાં પોસ્ટ કર્મચારીનો ત્રીજા માળેથી પડતુ મૂકી આપઘાત

મૃતક ઇકબાલભાઇ સોલંકી મુળ લીલીયાના હાથીગઢનાઃ અમરેલી પોસ્ટ ઓફીસમાં નોકરી કરતા'તા

ભાવનગર તા. ૭ :.. ભાવનગરમાં કાળા નાળા વિસ્તારમાં આવેલા કોમ્પલેક્ષનાં ત્રીજા માળેથી પડતું મુકી પોસ્ટ ખાતાનાં કર્મચારીએ આપઘાત વહોરી લીધો હતો.

મળતી વિગતો મુજબ શહેરનાં કાળાનાળા વિસ્તારમાં સૂર્યદીપ કોમ્પલેક્ષની બાજુમાં આવેલ કાલ્ટર્ન સ્કેવર બીલ્ડીંગનાં ત્રીજા માળેથી પડતું મુકી એક આઘેડ શખ્સે આપઘાત વહોરી લીધો હતો. બનાવની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતકનાં ખીસ્સામાંથી મળેલ ઓળખ પત્રને આધારે મૃતકનું નામ ઇકબાલ ભાયાભાઇ સોલંકી અને તે અમરેલી જીલ્લાનાં  લીલીયા તાલુકાનાં હાથીગઢ ગામનાં વતની હોવાનું અને તે અમરેલી પોસ્ટ ઓફીસમાં નોકરી કરતા હોવાનું ખુલવા પામ્યુ છે. આમ અમરેલી પંથકનાં સરકારી કર્મચારીએ ભાવનગર આવી આપઘાત કરતાં ચકચાર જાગી છે.  આ બનાવ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. (પ-૧૦)

 

(10:50 am IST)