Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

મોરબી જીલ્લામાં કોરોનાનો માત્ર ૦૧ કેસ નોંધાયો : ૧૦ દર્દીઓ સ્વસ્થ થયા: જીલ્લામાં એક્ટીવ કેસ માત્ર ૨૬

વાંકાનેર, હળવદ, ટંકારા અને માળિયા તાલુકામાં આજે નવો એકપણ કેસ નોંધાયો નથી

  મોરબી  જીલ્લામાં કોરોના કેસો નામ પૂરતા જોવા મળે છે આજે મોરબી તાલુકામાં માત્ર 0૧ કેસ નોંધાયો છે જયારે આજે ૧૦ દર્દીઓ સ્વસ્થ થયા છે

  આજે મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં કોરોનાનો ૦૧ કેસ નોંધાયો છે તો વાંકાનેર, હળવદ, ટંકારા અને માળિયા તાલુકામાં આજે નવો એકપણ કેસ નોંધાયો નથી જીલ્લામાં વધુ ૧૦ દર્દીઓ સ્વસ્થ થયા છે મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૨૬ થયો છે

 

(8:38 pm IST)