Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

માળિયાના ભાવપર ગામે માતાનું કોરોનામાં અવસાન થયા બાદ પુત્રનો આપઘાત

યુવાન ગુમસુમ રહેતો હોય એકલવાયું જીવન જીવતો હોવાથી યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો

માળિયા તાલુકાના ભાવપર ગામે રહેતા યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોય જે બનાવની નોંધ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
બનાવની મળતી વિગતો પ્રમાણે ભાવપર ગામની સીમમાં રહેતા હિતેશભાઈ વાઘજીભાઈ પૈજા (ઉ.વ.૩૬) નામના પટેલ યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોય જે બનાવ મામલે ગામના સરપંચે પોલીસને જાણ કરી હતી માળિયા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો
તો બનાવ મામલે પોલીસમાંથી મળતી વિગતો પ્રમાણે મૃતક યુવાનના માતાનું કોરોનામાં અવસાન થયું હોય અને યુવાન ગુમસુમ રહેતો હોય એકલવાયું જીવન જીવતો હોવાથી યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું ખુલ્યું છે માળિયા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(8:20 pm IST)