Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

રાજ્યકક્ષાના 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની ઉજવણી : ફળદુ, જાડેજા, માડમ જામનગરથી વર્ચ્યુઅલી જોડાયા

જામનગર તા. ૭:  ગાંધીનગર ખાતેના મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાનેથી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વનમંત્રી ગણપતસિંહ વસાવા સુરતથી, રાજયકક્ષાના વન મંત્રી જયદ્રથસિંહ પરમાર ગાંધીનગરથી કૃષિમંત્રીશ્રી આર.સી.ફળદુ, રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદશ્રી પૂનમબેન માડમ જામનગરથી વર્ચ્યુઅલી જોડાયા હતા.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વ પર્યાવરણ દિવસે ગુજરાતની આગવી પહેલ રૂપ 'સ્ટેટ એકશન પ્લાન ઓન કલાયમેટ ચેન્જ'લોન્ચ કરીને ગુજરાતને આ ક્ષેત્રે પ્રથમ રાજયનું ગૌરવ અપાવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજયના કલાયમેટ ચેન્જ વિભાગ દ્વારા IIM અમદાવાદ અને IIT ગાંધીનગરના તજજ્ઞોના સહયોગથી તૈયાર કરવામાં આવેલા સ્ટેટ એકશન પ્લાન ઓન કલાયમેટ ચેન્જ અને કોવિડ-૧૯ ની રાજયના વિવિધ ક્ષેત્રો પર પડેલી અસરો અંગેના અહેવાલનું વિમોચન ગાંધીનગરમાં સંપન્ન કર્યુ હતું 

ગુજરાત સ્ટેટ એકશન પ્લાન ઓન કલાયમેટ ચેન્જમાં ર૦૩૦ સુધીમાં રાજયમાં કલાયમેટ ચેન્જ અનુકુલન, શમનના આયોજન અને પગલાંઓનો સમન્વય કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ અહેવાલ અને સ્ટેટ એકશન પ્લાનનો વિમોચન કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાત કલાયમેટ ચેન્જના પડકારોને હલ કરવાના લાંબાગાળાના એકશન પ્લાનને અમલમાં મૂકનારૃં ગુજરાત દેશનું પ્રથમ રાજય બનશે.

તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પર્યાવરણ અને કલાયમેટ ચેન્જ અંગે દાખવેલી પ્રતિબદ્ઘતાને આપણે આગળ ધપાવી સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ કર્યુ છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ગુજરાત ૧૬૦૦ કિ.મી. લાંબો દરિયા કિનારો, વનો, પર્વતો, રણ જેવી અનેક વિવિધતા ધરાવતો પ્રદેશ છે. કલાયમેટ ચેન્જના કારણે કુદરતી વાવાઝોડા, હિટવેવ, વ્યાપક વરસાદ જેવી સ્થિતીનો સામનો આપણે કરતા આવ્યા છીયે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ગુજરાતે પર્યાવરણ જાળવણી, રક્ષા માટે સૌર અને પવન ઊર્જા, ઇલેકટ્રીક વાહનોના ઉપયોગ પર વિશેષ ઝોક આપ્યો છે. રાજયમાં નવા થર્મલ પાવર પ્લાન્ટસ શરૂ કરવાની મંજૂરીઓ હવે ન આપવા સાથે નવ હજાર મેગાવોટ પવન અને પાંચ હજાર મેગાવોટ સૌર ઊર્જા ઉત્પન્ન કરી ગ્રીન-કલીન એન્વાયરમેન્ટને સાકાર કર્યુ છે એમ તેમણે કહ્યું હતું.

તેમણે ઉમેર્યુ કે, ગુજરાત આવનારા દિવસોમાં ૩૦ ગીગાવોટ સૌર અને પવન ઊર્જાનું ઉત્પાદન કરીને આ ક્ષેત્રે પણ અગ્રેસર રહેશે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, કલાયમેટ ચેન્જ અને પૂનઃ પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે ગુજરાતે આગવી પહેલો કરી છે. જળ સંરક્ષણ, રિસાયકલીંગ ઓફ વોટર, રિયુઝ ઓફ ટ્રીટેડ વોટર દ્વારા જળ શુદ્ઘિના આયામો અપનાવ્યા છે.

રાજયમાં પ્રદૂષણમુકત યાતાયાત સુવિધાઓ માટે CNG વાહનોને તેમજ ઇલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન અપાય છે. ૯ હજાર CNG  ફિલીંગ સ્ટેશન ઊભા કરી વધુને વધુ લોકો CNG  વાહનોનો વપરાશ કરે પ્રદૂષણ અટકે તેવી નેમ રાખી છે. ઇલેકટ્રીક વાહનોના વપરાશ માટે પણ પોલીસી ઘડી છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ એમ પણ કહ્યું કે, ઊર્જા બચત, જળસંરક્ષણ, વનીકરણ, આપત્ત્િ। વ્યવસ્થાપન એમ બહુધા ક્ષેત્રોમાં કલાયમેટ ચેન્જના પડકારો સામે સજ્જ થવા આપણે ફોકસ કર્યુ છે.

સોલાર રૂફટોપ પોલીસી, બેટરી સંચાલિત વાહનો, ઊર્જા ઓડિટ અને કલામેટ ચેન્જ સામે જનજાગૃતિના આયામો ગુજરાતે પહેલરૂપે અપનાવ્યા છે. દેશના કુલ સોલાર રૂફટોપમાં રપ ટકા એકલા ગુજરાતમાં છે ૧.૧૧ લાખ ઘરોને આવરી લેવાયા છે. એટલું જ નહિ, ૧૭ મિલીયન ટન કાર્બન ઉર્ત્સજનમાં દ્યટાડો તેમજ ૧ર.૩ મિલીયન ટન કોલસાની બચત ગુજરાતે ઊર્જા ક્ષેત્રોમાં આવા સૌર-પવનના સ્ત્રોત અપનાવીને કરી છે એમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ભારત સરકારે કલાયમેટ ચેન્જના નિયત કરેલા લક્ષ્યાંકો અનુસાર ગુજરાતનો આ નવો સ્ટેટ એકશન પ્લાન આવનારા ૧૦ વર્ષ એટલે કે ર૦૩૦ સુધીના સમયગાળાને અનુલક્ષીને તૈયાર કરવામાં આવેલો છે. આ એકશન પ્લાનમાં રિન્યુએબલ એનર્જી, એનર્જી સેવિંગ, વોટર કન્ઝર્વેશન, વનીકરણ, સાગરકાંઠા વિસ્તારો, આદિજાતિ ક્ષેત્રો, પશુપાલન, ખેતી, આરોગ્ય જેવા વિવિધ પાસાંઓને આવરી લેવાયા છે એમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ સ્ટેટ એકશન પ્લાન તૈયાર કરવામાં IIM અમદાવાદ અને IIT ગાંધીનગરના તજજ્ઞોના સહયોગની સરાહના કરી હતી.

આ લોન્ચીંગ વેળાએ કલાયમેટ ચેન્જ વિભાગના અગ્ર સચિવ શ્રી એસ. જે. હૈદર, જેડાના એમ.ડી. શ્રી બિજલ શાહ તેમજ IIMના ડો. અમિત ગર્ગ, સિદ્ઘિબહેન, વિમલ મહેશ્વરી વગેરે જોડાયા હતા. જયારે વિવિધ કોર્પોરેશનમાં રાજયના મંત્રીશ્રીઓ, મેયરશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ, જિલ્લા કલેકટરશ્રીઓ સહિત વિવિધ જિલ્લાઓમાંથી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓશ્રીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.

(1:26 pm IST)