Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

જેતપુરમાં ગોઝારી ઘટના, ત્રણ પરિવારોમાં શોકઃ નહાવા પડેલ ત્રણે યુવાનના મૃતદેહ મળ્યા

સાહિલ ધર્મેશભાઈ મકવાણા બાદ પંકજ કિશોરભાઈ વાસવાણી અને સુમિત પ્રકાશભાઈ સોલંકરના મૃતદેહ નદીમાંથી બહાર આવ્યા

 જેતપુર,તા.૭ : શહેરના અમર નગર રોડ જોડિયા હનુમાન નજીક વિસ્તારમાં આવેલ નારણપાટ તરીકે ઓળખાતી નદી માં કોઈ યુવાન નો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં પી.આઇ. પી.ડી.દરજી સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયેલ. અને રેસ્ક્યું કરતા એક યુવાન નો મૃતદેહ મળી આવેલ જે ખોડપરા વિસ્તારમાં રહેતા સાહિલ ધર્મેશભાઈ મકવાણાની લાશ હોવાનું બહાર આવેલ.

     ઘટના સ્થળે બે બાઇક પડેલ હોય સાહિલ અને તેની સાથે બીજા બે મિત્રો પણ હોય જે નદીમાં સાથે નહાવા પાડયા હોય પરંતુ તેની ભાળ ન મળતાં તેની શોધ કરવા પોલીસે ફાયર ફાયટરની ટીમ બોલાવેલ સાથે સમાજ સેવક હારુનભાઈ રાફાઇ એ શોધખોળ શરૂ કરતાં ૨ કલાકની જહેમત બાદ બીજા બન્ને યુવાનોના મૃતદેહ મળી આવેલ જેમાં પંકજ કિશોરભાઈ વાસવાણી, સુમિત પ્રકાશભાઈ સોલંકર તરીકે ની ઓળખ થયેલ હતી.

આ બનાવ થી ત્રણે યુવાનોના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. એવું જાણવા મળેલ કે પંકજ વાસવાણી એકજ પુત્ર હોય તેના પિતા મજૂરી કામ કરે છે તેના મોત થી પરિવાર ભાંગી પડેલ છે.  અત્રે ઉલ્લેખનીય છે કે આ નારણપટ નદીમાં પહેલા પણ મોત થયેલ છે જેથી તેના કાંઠે જારી મૂકવામાં  આવે જેથી આવા બનાવ બનવા ન પામે.

(12:13 pm IST)