Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

જામનગરના મોટી રાફુદડમાં રાધા-કૃષ્ણની મુર્તિ કુવામાંથી મળીઃ અજાણ્યા શખ્સોની શોધખોળ

લાલપુર તા.૭: જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના મોટી રાફુદડ ગામમાં બુધવારે રાત્રીના સમયે અસામાજીક તત્વો દ્વારા મંદિરમા તોડફોડ કરીને મુર્તિઓ ઉઠાવી ગયા હતા અને બાપા સીતારામની મુર્તિ ખંડિત કરી હતી. દરમિયાન કાલે રાત્રીના મંદિરની નજીક આવેલા કુવામાથી રાધા-કૃષ્ણ ભગવાનની મુર્તિ મળી આવી છે.

જે મુર્તિનું ભાવિકો દ્વારા સ્થાપન કરવામાં આવશે.

આ બનાવમાં સંડોવાયેલા અસામાજીક તત્વોને ઝડપી લેવા માટે પોલીસે તપાસનો ધમધમાટે શરૂ કર્યો છે.

આ બનાવથી મોટી રાફુદડમાં ભારે આક્રોશ છવાયો છે.

(1:45 pm IST)