Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

ભાવનગર જીલ્લામાં વધુ ર અકસ્માતઃ ર યુવકોના મોતઃ ૧પ ને ઇજા

ગઇકાલે રંઘોળા પાસે સર્જાયેલ ગમખ્વાર અકસ્માત બાદ બીજા દિવસે પણ અકસ્માતની હારમાળા

 ભાવનગર, તા., ૭: ગઇકાલે  ભાવનગર જીલ્લાના રંઘોળા પાસે સર્જાયેલ અકસ્માતમાં ૩ર વ્યકિતઓના મોત નિપજયા બાદ આજેસતત બીજા દિવસેપણ  ભાવનગર જીલ્લામાં અકસ્માતના બેબનાવ બન્યા છે. ેજેમાં બે યુવકોના મોત નિપજયાછે. જયારે૧પ મુસાફરોને નાની મોટી ઇજા થઇ છે.

ભાવનગર જીલ્લાના વલ્લભીપુર નજીક લાખણકા ગામના ઢાળ પાસેચામુંડા ફર્નિચર શોરૂમનીસામેથી પસાર થઇ રહેલ આઇટેન કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા પીજીવીસીએલના ટીસી સાથે અથડાતાસર્જાયેલ અકસ્માતમાં કારમાં બેઠેલા વલ્લભીપુર કાનપર ગામના ભવાનીસિંહ ભરતસિંહમોરી તથાપીપળીયાગામના કિર્તીસિંહ જીતેન્દ્રસિંહ ટાંક નામના બે કારડીયા રજપુત યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા.

આ બનાવની જાણ થતા વલ્ભીપુર પોલીસ ટીમ  અને કારડીયા રાજપુત સમાજના આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા.

બીજા બનાવમાં મહુવાના માઢીયા ગામ નજીક છોટા હાથીના ડ્રાઇવરે સ્ટિયરીંગ પર કાબુ ગુમાવતા છોટા હાથી પલ્ટી જતા ૧પ જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ થતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મહુવાના ડે. કલેકટર હોસ્પિટલ દોડી ગયા હતાં. મહુવાના એક પરિવાર કારજના કામે જતી વેળાએ માઢીયા ગામ નજીક આ દુર્ઘટના સર્જાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

(4:08 pm IST)