Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

સુરેન્દ્રનગરઃ સાવકી માતાએ માસૂમ પુત્રની હત્યા કરી

પેટીમાં પૂરી ૬ વર્ષના ભદ્ર પરમારને ગુંગળાવીને મારી નાખ્યોઃ મોરી પરિવારમાં હાહાકાર

વઢવાણ : તસ્વીરમાં મૃતક ભદ્ર પરમારનો ફાઇલ ફોટો અને મૃતદેહ, ત્રીજી તસ્વીરમાં આરોપી સાવકી માતા અને ચોથી તસ્વીરમાં મૃતક બાળકના પિતા નજરે પડે છે. (તસ્વીર : ફઝલ ચૌહાણ, વઢવાણ)

વઢવાણ તા. ૭ : સુરેન્દ્રનગર કૃષ્ણનગર હાઉસીંગ બોર્ડમાં રહેતી સાવકી માતાએ પુત્રને ગુમ થયાના સમાચાર પરિવારમાં વહેતા કરી પુત્રને પેટીમાં પુરી દઇ અને મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરના સિટી પોલીસ મથકમાં પુત્ર લાપતા બન્યો હોવા અંગેની શોધખોળ બાદ પિતા શાંતિલાલ પરમાર દ્વારા ફરીયાદ નોંધાવી હતી. પોલીસને જાણકારી આપવામાં આવેલ હતી.

ફરીયાદના બે દિવસ બાદમાં પોલીસ તપાસમાં હતી ત્યારે પુત્ર ગુમ થયાની પણ ફરીયાદ હતી ત્યારે પોલીસે પુત્રના પિતા શાંતિલાલ પરમારને તેની પત્ની અને પુત્રની સાવકી માતા ઉપર શંકા વ્યકત કરવામાં આવેલ ત્યારે તેના પતિને આ બનાવમાં ખાનગી રાહે તપાસ કરવા માટે પોલીસે જણાવ્યું હતું અને ત્યારબાદ આજ સાવકી માતાએ માત્ર છ વર્ષના પુત્રને પેટીમાં પુરી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું ખુલ્યું હતું.

જિલ્લા પોલીસ અધિક્ષક દિપકકુમાર મેઘાણી સિટી પોલીસ મથકના પી.એસ.આઇ. એલ.સી.બી. શાખા સહિતનો સ્ટાફ તુરંત જ આ બનેલ ઘટના સ્થળ ઉપર દોડી ગયેલ હતો અને આ બનાવમાં પૂછપરછ આગવી ઢળે કરાતી સાવકી માતા એ જ પુત્રને મોતને ઘાટ ઉતારેલ હોવાની હાલમાં ઘટના નજર સમક્ષ આવેલ છે. ત્યારે ડોગ સ્કવોર્ડ દ્વારા તપાસ કરાતા ડોગ પણ સાવકી માતાનો જ છેડો જાલી પુરવાર કરી અને સાવકી માતાએ જ પુત્રને મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘટનાનો પર્દાફાશ થવા પામ્યો છે.

કૃષ્ણનગર હાઉસીંગ બોર્ડમાં રહેતા શાંતિલાલ પરમારના અગાઉના લગ્ન જીવનમાં પત્નીના અવસાન બાદ શાંતિલાલ પરમારે બીજા લગ્ન જીનલબેન સાથે કર્યા હતા.

અગાઉના પરણેતરમાં એક પુત્ર હતો જેનુ નામ ભદ્ર શાંતિલાલ પરમાર જેની ઉંમર માત્રને માત્ર છ વર્ષની હતી ત્યારે જીનલ ભદ્રની સાવકી માતા હતી જેના કારણે જીનલને આ ભદ્ર કણાની માફક ખુંચતો હતો.

ત્યારે બે દિવસ પહેલા ભદ્ર એકાએક ગુમ થયો હોવાનો ડોળ જીનલે રચ્યો હતો પિતા શાંતિલાલે શોધખોળ કરવા છતાં ભદ્ર કયાંય મળ્યો ન હતો. જેના કારણે પિતા શાંતિલાલે સુરેન્દ્રનગર સિટીમાં પુત્ર ભદ્ર ગુમ થયા અંગેની ફરીયાદ નોંધાવેલ હતી.

સાવરકી માતા જીનલ હોવાના કારણે પોલીસને શંકા વ્યકત થયેલ અને શાંતિલાલને પોલીસે આ બનાવમાં શાંતિલાલના પત્ની સાવકી માતા જીનલ તો જવાબદાર નથીને તેવું જણાવેલ અને ત્યારબાદ બે દિવસની તપાસ બાદ આજ વાત સામે આવેલ છે. જીનલે  સાવકા પુત્રને પોતાના રૂમમાં પેટીમાં પુરી અને મુંજાઇ અને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું ખુલતા પોલીસ પરિવાર બંને ચોકી ઉઠયા છે. જ્યારે બનાવ બન્યો અને ગુનો ડિટેઇન પણ પોલીસે કરી નાખ્યો છે ત્યારે હાલમાં આ વિસ્તારમાં લોકોના ટોળા અને પોલીસની તપાસના ધમધમાટ વચ્ચે ફિટકાર વરસાવતો આ બનાવ બન્યો છે.

(11:46 am IST)