Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

સાણથલીમાં કાલે સરદાર પટેલ સેવા સમાજ ભવનનું લોકાપર્ણ સન્માન તથા લોકડાયરા સહિત પંચવિધી કાર્યક્રમ

જયેશભાઇ રાદડીયા, પરેશભાઇ ધાનાણી, ડો.ભરતભાઇ બોઘરા, પરેશભાઇ ગજેરા, રમેશભાઇ ધડુક, ભકિતરામબાપુ ઉપસ્થિત રહેશે

 જસદણ તા.૬ : સાણથલીમાં શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા અનાવરણ લોકાર્પણ સન્માન સધારણ સભા તથા લોકડાયરા સહિત પંચવિધી કાર્યક્રમનું આયોજન તા.૭મીએ કરવામાં આવ્યુ છે.

કાર્યક્રમમાં મંત્રી જયેશભાઇ રાદડીયા વિપક્ષનેતા પરેશભાઇ ધાનાણી નિગમ ચેરમેન ભરતભાઇ બોઘરા ખોડલધામના ગજેરા સાંસદ રમેશભાઇ ધડુક સાંસદ મોહનભાઇ કુંડારીયા, ભોજલરામ ફતેપુરના સંત ભકિતરામ બાપુ ધારાસભ્યો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહે છે. તા.૭ ને ગુરૂવારે બપોરે ૩ કલાકે યોજાનાર કાર્યક્રમમાં સૌપ્રથમ સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટની વાર્ષિક સાધારણ સભા બાદ કાર્યક્રમનુ દિપપ્રાગટય ભોજલરામ ફતેપુરના સંતશ્રી ભકિત રામબાપુ કરે છે.

કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા પધારે છે તથા ઉદઘાટન સરદાર પટેલ જળસંચય યોજનાના ચેરમેન ડો.ભરતભાઇ બોઘરા કરે છે તથા સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ તેમજ સરદાર પટેલ સેવા સમાજ ભવનનુ લોકાર્પણ વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણી રાજકોટ એપીએમસીના ચેરમેન અને જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયાના હસ્તે કરવામાં આવે છે. મુખ્ય મહેમાનપદે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા તથા પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક તથા સરદાર ધામના ઉપપ્રમુખ અને ખોડલધામના ટ્રસ્ટી પરેશભાઇ ગજેરા તેમજ ગુજરાત કૃષિ બજાર બોર્ડ ગાંધીનગરના ડીરેકટર તથા રાજય સહકારી સંઘના માનદ મંત્રી અને જસદણ યાર્ડના ચેરમેન અરિવંદભાઇ તોગડીયા, જીલ્લા દુધ ઉત્પાદક સંઘના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાત, ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર, ધારાસભ્ય લલીતભાઇ વસોયા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હીતેશભાઇ વોરા તથા યુએસએ ઓર્ગેનાઇઝર સંજયભાઇ સાકરીયા સહિત જસદણ પંથકના આગેવાનો સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં હાજરી આપી છે.

સાધારણસભામાં લોકાર્પણ અનાવરણ બાદ વિદ્યાર્થી સન્માન સ્મૃતિ ચિહન પ્રતિષ્ઠિત આગેવાનો દાતાઓનુ સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઇ છે. સાંજે સાત કલાકે ભોજન પ્રસાદ બાદ રાત્રે ૧૦ કલાકે લોકડાયરો યોજાઇ છે જેમા લોકસાહિત્ય ઘનશ્યામભાઇ લાખાણી, ભજનીક પલવીબેન પટેલ, ગાયત્રી પટેલ, હાસ્ય કલાકાર બાબાભા ગોહીલ, હાસ્યકલાકાર સુખદેવ ધામેલીયા ભાગ લેશે. સર્વ ભાવિકજનોએ પધારવા શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટની યાદીમાં જણાવ્યુ છે.

(12:03 pm IST)