Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

જામનગર જિલ્લામાં ભૂકંપના ૩ આંચકા

જામનગર, તા. ૬ :  જામનગર જિલ્લામાં ગઇકાલે ભૂકંપના ફરી આંચકાઓ નોંધાયા છે. જામનગર તાલુકાના મતવા અને ભલસાણ બેરાજા વચ્ચે ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોવાનું સતાવાર રીતે જાણવા મળી રહ્યું છે.

જામનગરથી ર૬-ર૭ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ છે. ગઇકાલે ૧ર.રપ એ ૩.૧ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો જયારે ૧.૩૦ કલાકે ર.૮ અને આ ઉપરાંત ૧.૪૦ એસ પણ ૩.૦ ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

(11:48 am IST)