Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

માંગરોળના દિવાસા ગામની ર બહેનો ઉપર દુષ્‍કર્મ

ગામના જ ૭ શખ્‍સો સામે ફરિયાદઃ એક આરોપીનું ફરીયાદ અગાઉ મોત

જૂનાગઢ તા. ૬ :.. માંગરોળનાં દિવાસા ગામની બે સગીર બહેનો પર બળાત્‍કાર ગુજારવામાં આવ્‍યો હોવાનું પ્રકાશમાં આવેલ છે.

જેમાં મોડી રાત્રે ભોગ બનનાર સગીરાના પિતાએ ગામના જ સાત શખ્‍સો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ જધ્રન્‍ય કૃત્‍યમાં એક આરોપી મૃત્‍યુ પામ્‍યો હોવાનું જાણવા મળેલ છે.

આ અંગેની વિગતો એવી છે કે, મુળ અમદાવાદનો વતની અને હાલ માંગરોળ તાલુકાનાં શીલ પાસે દિવાસા ગામે ભાડાના મકાનમાં રહેતો અનુસુચિત જાતિના પરિવારની એક ૧૬ વર્ષની સગીર પુત્રી સાથે ગામનો મોહીન ઉર્ફે મોઇલી અયુબ નામનાં શખ્‍સે ત્રણેક મહિના પહેલા પ્રેમ સંબંધ બાંધ્‍યો હતો.

બાદમાં લલચાવી-ફોસલાવીને સગીરા ઉપર મોહીન ઉર્ફે મોઇલીએ દુષ્‍કર્મ આચર્યુ હતું. આ પછી દિવાસા ગામનો જ અયુબ કુરેશી દુકાનવાળો અને જીવા કચરાભાઇ કોળીએ પરિવારના ઘરે જઇ એ જ સગીર દિકરી ઉપર બળાત્‍કાર ગુજાર્યો હતો.

તેમજ ગૌતમ વજુ પરમાર અને કાળા ટીડા પરમાર (રે. દિવાસા) નામનાં શખ્‍સોએ દુષ્‍કર્મનો ભોગ બનેલી સગીરા સાથે શારીરિક અડપલા કરી અને બળાત્‍કારની કોશિષ કરી હતી.

જેમાં રજાક ફરીદ કુરેશી નામના ઇસમે સગીરા પાસે હસ્‍તમૈથુન કરાવીને પોતાની હવસ સંતોષી હતી.

આ પરિવારની એક દિકરીને નરાધમોએ શારીરિક અત્‍યાચારનો ભોગ બનાવ્‍યા બાદ  પરિવારની અન્‍ય એક ૧પ વર્ષની સગીર વયની પુત્રી ઉપર પણ દિવાસા ગામનો જ રામજી મેપા પરમાર નામનાં નરાધમે દુષ્‍કર્મ આચર્યુ હતું.

જો કે, આ નરાધમ હાલ મરી ગયો હોવાનું બહાર આવેલ છે.

બે - બે દિકરીને દુષ્‍કર્મનો ભોગ બનાવનાર શખ્‍સો સામે પિતાએ ગત રાત્રે ૧૦.૩૦ કલાકે ફરીયાદ નોંધાવતા શીલ પોલીસે સાતેય શખ્‍સો વિરૂધ્‍ધ કલમ ૩૭૬, ૩૭૬ (આઇ), ૩પ૪ (એ) (બી), ૪પર, ૧૧૪, મોકસો ૪, ૬, ૮, ૧૧ (૩), ૧ર, અને એટ્રોસીટી એકટની કલમ ૩ (૧) આરએસડબલ્‍યુ, ૩ (ર) (પ), મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ એસપી - એસટી સેલ જૂનાગઢના ડીવાયએસપી એચ. એસ. રત્‍નુ ચલાવી રહ્યા છે.

(11:58 am IST)