Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

રામ મંદિર અને ખેડૂતોના મુદ્દે સરકાર વિચારણ નહિ કરે નુકશાન માટે તૈયાર રહે: ડો,તોગડિયા

પાલીતાણામાં ડો,તોગડિયાનું રેલી સ્વરૂપે સ્વાગત : પાકિસ્તાન સાથે વાત થતી હોય તો હાર્દિક સાથે ખેડૂતોના મુદ્દે ભાજપ સરકાર કેમ વાત કરતી નથી

ભાવનગર:પાલીતાણાના તીર્થધામમાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા  ભાવનગરના પાલીતાણાના તીર્થધામમાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયા આવી પહોંચતા એએચપી દ્વારા રેલી સ્વરૂપે સ્વાગત કરવામાં આવ્યું હતું.

 પાલીતાણા ભીડભંજન મહાદેવ ખાતે એએચપીના કાર્યકરો સાથે તેમની બેઠક યોજાઈ હતી શિવ દર્શન કરીને પ્રવીણ તોગડીયાએ કાર્યકરોને સંબોધન કર્યા બાદ આગળના પ્રવાસે રવાના થયા હતા.પ્રવીણ તોગડીયાએ હાર્દિક મુદ્દે ભાજપ અને નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા. વધુમાં પ્રવિણ તોગડિયાએ કહ્યું કે, પાકિસ્તાન સાથે વાત થતી હોય તો હાર્દિક સાથે ખેડૂતોના મુદ્દે ભાજપ સરકાર કેમ વાત કરતી નથી.

(8:49 pm IST)