Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

હળવદમાં ભાવિકો કૃષ્ણ ભકિતમા લીનઃ ભવ્ય શોભાયાત્રા

 હળવદઃ વિશ્વ હિન્દુ પરીષદ હળવદ પ્રખંદ દ્વારા જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરાયુ હતું મોરબી દરવાજા પાસે રાધાકૃષ્ણ મંદિર પાસેથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયુ હતું.ધ્રાંગધ્રા દરવાજા પાસે રબારી સમાજ દ્વારા જય વડવાળા યુવક મંડળ દ્વારા ઠંડા સરબતનું વિતરણ કરાયું હતુ. ભરવાડ સમાજ દ્વારા હુડો તથા રાસ તથા લેહણી લઇ લોકોને મુગ્ધ કરી દીધા હતા.  શોભાયાત્રામાં રાધા કૃષ્ણ ભગવાન પરશુરામ, શિવાજી સહિતના અનેક ફલોટ જોવા મળ્યા અને ભકિતનું અલૌકિક વાતાવરણ સર્જાયું હતું કૃષ્ણ ભકિતનો નાદ ગુંજી ઉઠયો હતો. (તસ્વીરઃ અહેવાલ, હરીશ રબારી-હળવદ) (૬.૩૨)

 

(12:31 pm IST)