Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

રાઘવજીભાઇ પટેલ જામનગર જિલ્લાનાં પ્રવાસે

લોક સંપર્ક, નિવૃત સૈનિકોના સન્માન કાર્યક્રમ તથા એ.પી.એમ.સી. જામનગર ખાતે બેઠકમાં હાજરી આપશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૦૬ : કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ જામનગર જિલ્લાની મુલાકાતે આવનાર છે, જેમની આ મુલાકાત દરમિયાન તેઓ તા.૦૬/૦૧/૨૦૨૨ ગુરૂવારના રોજ ૨૧.૩૦ કલાકે મોટા થાવરીયા ખાતે આર્મીમાંથી નિવૃત થયેલ સૈનિકોના સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તા. ૦૭/૦૧/૨૦૨૨ના રોજ સવારે ૦૮.૩૦ કલાકે ખારવા ગામે પ્રાથમિક શાળાના કાર્યક્રમમાં, ૧૧.૦૦ વાગ્યે માર્કેટ યાર્ડ હાપા ખાતે શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગરની સામાન્ય સભામાં ઉપસ્થિત રહેશે. તદઉપરાંત મંત્રીશ્રી ૧૨.૦૦ થી ૧૭.૦૦ કલાક દરમિયાન સરકિટ હાઉસ ખાતે લોકો સંપર્ક યોજી લોકોને રૂબરૂ મળશે. મંત્રીશ્રી ૧૭.૦૦ કલાકે સરકીટ હાઉસ ખાતે પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓ સાથે બેઠક યોજશે. ત્યારબાદ ૧૮.૦૦ કલાકે મંત્રીશ્રી ચાવડા ગામ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે.

તા. ૦૯/૦૧/૨૦૨૨ના રોજ સવારે ૦૯.૩૦ કલાકે મંત્રીશ્રી રણજીતનગર પટેલ સમાજ ખાતે જાયન્ટસ વેલફેર ફાઉન્ડેશન આયોજીત કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે.

(12:51 pm IST)