Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

જુનાગઢમાં બીજા દિવસે પણ ૮ કોરોના પોઝીટીવ કેસ

કુલ ૬ દર્દી ડીસ્ચાર્જ થયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૬: જુનાગઢમાં સતત બીજા દિવસે પણ ૮ કોરોના પોઝીટીવ કેસ નોંધાતા હલચલ મચી ગઇ હતી.

જુનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાએ રફતાર પકડતા નવા કેસ સતત વધી રહ્યા છે.

બુધવારે જિલ્લામાં ૮ કેસ નોંધાયા હતા. જે તમામ કેસ જુનાગઢ સીટીનાં જ હતા.ો આમ શહેરમાં કોરોનાનો વિસ્ફોટ શરૂ થતા શહેરીજનોમાં ગભરાટ ફેલાય ગયો છે.

ગઇકાલનાં જુનાગઢનાં ૮ નવા કેસની સામે સીટીનાં ૩ દર્દી તેમજ માણાવદરનાં એક અને વંથલીનાં બે પેશન્ટ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

દરમ્યાન કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધીને ર૦ની થયેલ છે અને જેના લોકોની સંખ્યા ૮૧એ પહોંચી છે.

(12:47 pm IST)